
૯૮ વર્ષની ઉંમરે પણ યુવાનોને શરમાવે તેવી સ્ફૂર્તિ
૧૯૬૬માં માતાજીની આરાધના કરવા આવેલા કચ્છની ધરતી સંત સૂરાની હોવાની વાત પુસ્તકોમાં અવાર-નવાર વંચાતું હોય છે. ત્યારે ફરી કચ્છીબાબાએ ૪૫ વર્ષથી કોફી અને જયુસ પર રહીને કઠિન તપસ્યા કરી રહ્યાનું પ્રકાશમાં આવ્યું છે.
માંડવી તાલુકાના નાના રતડિયાના પીઠ આશાપુરા મંદિરના મહંત ગિરિજાદત્તગિરિજી ગુરુ દેવગિરિજી ૯૮ વર્ષની આયુએ પહોંચ્યા હોવા છતાં યુવાનોને શરમાવે તેવી સ્ફૂર્તિ ધરાવે છે. ૧૯૬૬માં માતાજીની આરાધના કરવા અને જંગલમાં આવેલા મંદિરને મંત્રમુગ્ધ બનાવવા માતાજી પાસે નિશ્વય કર્યો સવારે કોફી બપોરે જયૂસ અને સાંજે કોફી પર રહીને ઉગ્ર તપસ્યા કરવાનો નિર્ણય કર્યો હતો.
જંગલમાં મંગલ ઉક્તિને સાર્થક કરતાં પાંજરાપોળ ગૌશાળા અન્નક્ષેત્રે મેડિકલ સર્વિસ અને આજની નવી પેઢીમાં જૂના સંસ્કારના સિંચન કરવા સંસ્કૃત વેદશાળા સ્થાપી જેમાં દોઢસો જેટલા યુવાનો વેદના પાઠ શિખ્યા છે.
મૂળ અબડાસાના સારસ્વત બ્રાહ્મણ એવા બાબા છેલ્લા લાંબા સમયથી જૂના અખાડાના આંતરરાષ્ટ્રીય સભાપતિની પદવી પ્રાપ્ત કરી કચ્છી બાબાનું ગૌરવ પદ મેળવ્યું છે. વિશ્વભરમાં એમના તપની ચર્ચા કરાય છે, તે ખરેખર કચ્છના કચ્છીબાબા માટે આપણે પણ ગૌરવ લેવા જેવું છે.
No comments:
Post a Comment